Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

મલયાલમ ફિલ્મ મેકર અલી અકબરે ઇસ્લામ ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવવાની જાહેરાત કરીઃ નામ પણ બદલીને રામસિમ્હન રાખશે

બિપીન રાવતના મોત ઉપર ખુશ થયેલા લોકોની નિંદા કરી

મલયાલમ ફિલ્મ મેકર અલી અકબરે ઈસ્લામ છોડીને હિન્દુ ધર્મ અપનાવવાની જાહેરાત કરી છે. અલી અકબર પોતાના પરિવાર સાથે હિન્દુ ધર્મ અપનાવશે. તેઓ હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ રામસિમ્હન નામ રાખશે. તેમનુ કહેવુ છે કે આ વ્યક્તિનુ નામ એટલા માટે પસંદ કર્યુ છે કે, તેઓ પોતાની સંસ્કૃતિની રક્ષણ કરવા માટે મોતને ભેટયો હતો.

અલી અકબરે લાઈવ વીડિયોમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના મોત પર ખુશ થયેલા લોકોની નિંદા કરી હતી. અલી અકબરે કહ્યું કે, તેમણે તે વાતનુ પણ દુ:ખ છે કે, આ પ્રકારના લોકોની ધર્મગુરુઓ નિંદા પણ કરતા નથી. અલી અકબરે પોતાનુ જુનુ ફેસબૂક એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરી દીધુ છે અને ધર્મ પરિવર્તનની જાહેરાત કરી છે.

જોકે તેમનુ કહેવુ છે કે, હું મારી પુત્રીઓને ધર્મ પરિવર્તન માટે મજબૂર કરીશ નહીં. તે નિર્ણય તેમને પોતે લેવાનો છે. આ પહેલા અલી અકબર ભાજપમાં જોડાયા હતા અને લીડરશીપ સાથે થયેલા મતભેદો બાદ રાજીનામું આપ્યુ હતુ.

(4:17 pm IST)