Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

નીતિન ગડકરીએ ફરી પોતાની જ સરકારને આડે હાથ લીધી

સીસ્ટમને કારણે પ્રોજેકટો વિલંબમાં પડે છે

નવી દિલ્હી તા. ૧૧ : SCL ઈન્ડિયા ૨૦૨૧ના સંમેલનમાં ગડકરીએ કહ્યું કે સિસ્ટમમાં લેટ લતીફીના કારણે અનેક પરિયોજનાઓમાં મોડું થઈ રહ્યું છે. ખર્ચ વધી જાય છે.

ભાજપના નેતા અને કેન્દ્ર સરકારમાં રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પોતાના વિભાગ સાથે જોડાયેલા અન્ય તમામ મુદ્દા પર ખુલ્લીને વાત કરતા રહ્યા છે. આ વખતે તેઓ અધિકારીઓ અને સરકારી વ્યવસ્થા પર ભડકયા છે. SCL ઈન્ડિયા ૨૦૨૧ના સંમેલનમાં ગડકરીએ કહ્યું કે સિસ્ટમમાં લેટલતીફીના કારણે અનેક પરિયોજનાઓમાં મોડું થઈ રહ્યું છે. ખર્ચ વધી જાય છે. સમય પર નિર્ણય ન લેવો અને તમાં મોડું થવું મોટી સમસ્યા છે.

ઓનલાઈન સંમેલનમાં ગડકરીએ કહ્યું કે હું કોઈની વિરૂદ્ઘ કોઈ પ્રકારનો આરોપ નથી લગાવવા માંગતો પરંતુ સિસ્ટમના કારણે વધારે પરિયોજનાઓમાં મોડું થઈ રહ્યું છે. સરકારી વ્યવસ્થામાં નિર્ણય ન લેવો અને તેમાં મોડું કરવું એ મોટી સમસ્યા છે. ગડકરીએ આ કાર્યક્રમમાં કહ્યુંકે સમાધાન સમિતિઓને રસ્તા નિર્માણ પરિયોજનાઓ સંબંધિત મામલાને ૩ મહિનામાં પહોંચી વળવું જોઈએ. તેમણે કહ્યું કે મામલાને ઉકેલવામાં મોડું કરવાથી પરિયોજનાઓનો ખર્ચ વધી જાય છે. આ પ્રક્રિયા ઝડપથી કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે.

તેમણે કહ્યું તે મને મધ્યસ્થોની એક બેઠકમાં બોલાવવનો નિર્ણય કર્યો છે. હું તેમને કહું છુ કે એક નિર્ધારિત ફોર્મ બનાવવામાં આવે. જેને કોઈ નિર્માણ કોન્ટ્રાકટર મધ્યસ્થતા માટે જવું જોઈએ, તો તેનાથી ઉભરી શકે. ગડકરીએ કહ્યું કે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ ૧૫ દિવસની અંદર અરજી પર નિર્ણય કરશે અને પછી મામલાનું સમાધાન સમિતિની પાસે આવશે. તેમણે કહ્યું કે સમાધાન સમિતિઓને ૩ મહિનાની અંદર નિર્ણય આપી દેવો જોઈએ. ભારતીય અર્થવ્યવસ્થ માટે નિર્ધારિત સમય વાળા પાસાને ઘણું મહત્વ છે. ગડકરીએ કહ્યું કે મોટા ભાગે રસ્તા પરિયોજના વ્યવસ્થાગત કારણોમાં મોડું થયું છે.

(3:08 pm IST)