Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

કિન્નર મહામંડલેશ્વર કૌશલ્યાનંદગીરીની ભવિષ્યવાણી

યુપીમાં ફરી કમળ ખીલશે : યોગી ફરી બનશે મુખ્યમંત્રી

પ્રયાગરાજ,તા. ૧૧ : યુપી વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓમાં પડધમ વાગી ચૂકયા છે. પ્રયાગરાજ કિન્નર અખાડાના યુપી મહામંડલેશ્વર એવં કિન્નર બોર્ડના સભ્ય કૌશલ્યા નંદગીરીએ ભવિષ્યવાણી કરે છે.

તેમણે જણાવેલ કે, સીએમ યોગી આદીત્યનાથ ફરીથી યુપીના મુખ્યમંત્રી બનશે. કિન્નરોના હિતમાં યોગી સરકારે કામ કર્યું છે. જેથી યુપીમાં ફરીથી ૨૦૨૨માં કમળ ખીલશે. તેમણે વધુમાં જણાવેલ કે ભાજપ સરકારે કિન્નરોને સન્માન અપાવવાનું કામ કર્યું છે. કિન્નર બોર્ડનું ગઠન કર્યું. જેથી કિન્નરોને અધિકાર મળ્યા કિન્નરો હવે રોજગાર ક્ષેત્ર હોય કે શિક્ષા દરેક ક્ષેત્રમાં કામયાબ છે.

કિન્નર મહામંડલેશ્વર ટીનામાએ કહ્યુ કે અમે કિન્નર સમાજ તેની ભવિષ્યવાણી કરીએ છીએ કે આ વખતે ૨૦૨૨માં પુરી બહુમતિ સાથે ફરીથી સરકાર બનશે. ફરીથી યોગી આદીત્યનાથ મુખ્યમંત્રી બનશે.

(2:13 pm IST)