Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

હરિયાણા સીએમ ખટ્ટરે કહ્યું-ખુલ્લી જગ્યાએ નમાઝ પઢવાથી પરસ્પર સંઘર્ષને જન્મ ન આપવો જોઈએ

ખુલ્લામાં નમાજ પઢવા સામે સતત વિરોધ થયા બાદ ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે નમાઝને લઈને મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે લોકોએ ખુલ્લામાં નમાઝને બદલે ઘરે જ નમાઝ પઢવી જોઈએ. જેનો સ્થાનિક લોકો ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યા છે. આજે પણ ખુલ્લામાં નમાજ પઢવા સામે વિરોધ થયો હતો. જે બાદ ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ આ મોટું નિવેદન આપ્યું છે.સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે અહીં ખુલ્લામાં નમાઝ પઢવાની પ્રથાને સાંખી ન શકાય. બધા સાથે બેસીને ઉકેલ લાવવો પડશે. અમારી પાસે ઘણી જમીન છે જ્યાં તેમને અનુમતિ મળી શકે છે. , અથવા કેટલીક જમીન જે તેમની અથવા વકફની હશે, તે તેમને  ઉપલબ્ધ કરાવી શકાય તે અંગે વિચારી શકાય છે.

તેમણે કહ્યું કે ખુલ્લી જગ્યાએ નમાઝ પઢવાથી પરસ્પર સંઘર્ષને જન્મ ન આપવો જોઈએ. કોઈપણ સંજોગોમાં ઘર્ષણ પેદા કરવા દેવામાં આવશે  નહીં. . હવે બધી વાતો નવેસરથી કરો દરેકને સુવિધા મળવી જોઈએ. કોઈના અધિકારમાં હસ્તક્ષેપ ન કરવાે જોઇએ.

(12:00 am IST)