Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

યોગી સરકારે ડો.કફીલ ખાનને બરતરફ કર્યા

૨૦૧૭માં BRD હોસ્પિટલમાં બાળકોના મોત કેસમાં કાર્યવાહી

લખનઉ, તા.૧૧: ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં બાબા રાઘવ દાઓ (BRD) મેડિકલ કોલેજમાં બાળકોના મોતના મામલામાં યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં યુપી સરકારે આરોપી ડો. કફીલ ખાનને બરતરફ કરી દીધા છે. આ કેસમાં ડો. કફીલ ખાનને પહેલા જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ચાર વર્ષ પહેલા BRD હોસ્પિટલમાં ઓકિસજનના અભાવે બાળકોના મોત થયા હતા. આ કેસમાં ડો. કફીલ ખાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એક સમિતિ તેમની સામેના આરોપોની તપાસ કરી રહી હતી અને હવે મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે મોટી કાર્યવાહી કરતા ડો. કફીલ ખાનને બરતરફ કરી દીધા છે.

(2:59 pm IST)