Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

પેટ્રો પેદાશોને GST હેઠળ લાવો : ગડકરી

પેટ્રોલ - ડીઝલ પર ટેક્ષ ઘટાડવા માટે

નવી દિલ્હી તા. ૧૧ : કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી એ બુધવારે કહ્યું કે પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લેતાં પેટ્રોલ-ડીઝલ પર ટેકસ વધુ ઓછો થઇ જશે અને તેમાં કેન્દ્ર તથા રાજય સરકારોના રેવન્યૂમાં પણ વધારો થશે. નિતિન ગડકરીએ કહ્યું કે રાજય સરકારોનું સમર્થન મળતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો પ્રયત્ન જરૂર કરશે.

કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી એ કહ્યું 'જીએસટી પરિષદમાં રાજયોના નાણામંત્રી પણ સભ્ય હોય છે. કેટલાક રાજય પેટ્રોલ અને ડીઝલને જીએસટીના હેઠળ લાવવાના વિરૂદ્ઘ છે. જયારે પેટ્રોલ, ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવાશે, તો તેમના પર ટેકસ ઓછો થઇ જશે અને કેન્દ્ર ને રાજયો બંનેની રેવન્યૂ વધશે. જીએસટી પરિષદએ પોતાની ૧૭ સપ્ટેમ્બરની બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને GST ને દાયરાની બહાર રાખવાનો નિર્ણય કર્યો હતો.'

તો બીજી તરફ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એકસાઇઝ ડ્યૂટીમાં ક્રમશઃ પાંચ અને ૧૦ રૂપિયાનો ઘટાડા સંબંધિત સવાલ પર ગડકરી કહ્યું કે કેન્દ્ર સરકારે આમ જનતાને રાહત આપવા માટે સારું પગલું ભર્યું છે. તેમણે કહ્યું 'જે પ્રકારે કેન્દ્રએ આમ જનતાને રાહત આપતાં એકસાઇઝ ડ્યૂટીમાં કાપ કર્યો છે, આશા છે કે રાજય સરકારો પણ તેનું અનુસરણ કરશે અને વેટમાં કાપ કરશે. તેનાથી સામાન્ય જનતાને વધુ રાહત મળી શકશે.

આ આરોપો પર કેન્દ્રએ ૩૦ વિધાનસભા ક્ષેટ્રો અને ત્રણ લોકસભા સીટોની પેટાચૂંટણીના પરિણામે ધ્યાનમાં રાખતાં પગલું ભર્યું છે. ગડકરીએ કહ્યું કે રાજકારણ અમારા માટે સામાજિક-આર્થિક સુધારાનું માધ્યમ છે. અમે ચૂંટણી જીતવા માટે રાજકારણ કરતા નથી.

(10:07 am IST)