Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એર ઉડાન ભરશે :70 એરક્રાફ્ટ સાથે એરલાઇન્સ શરૂ કરવા યોજના :ઉડ્યન મંત્રાલયની મંજૂરી

અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા35 મિલિયન ડોલરના રોકાણ સાથે અકાસા એર તરીકે ઓળખાતી અલ્ટ્રા-લો-કોસ્ટ એરલાઈન શરૂ કરશે.

નવી દિલ્હી : દેશના અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા  થોડા સમયથી 70 એરક્રાફ્ટ સાથે પોતાની એરલાઈન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ સમાચારો પર આજે પડદો પડ્યો છે. રાકેશ ઝુનઝુનવાલાને પોતાની એરલાઈન શરૂ કરવા માટે એનઓસી મળી ગયુ છે.

અકાસા એરના સીઈઓ દુબેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સમર્થન અને એનઓસી આપવા બદલ અમે અત્યંત ખુશ અને આભારી છીએ. અમે અકાસા એરને સફળતાપૂર્વક શરૂ કરવા માટે જરૂરી તમામ નિયમો પર અમે નિયામક અધિકારીઓ સાથે કામ કરવાનું ચાલુ રાખશું.

ભારતીય બિઝનેસ મેગ્નેટ અને શેરબજારના રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ પ્રમોટ કરેલી અકાસા એરલાઈનને નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએ તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યું છે. મીડિયા રીપોટ્સના અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે કે અકાસા એર 2021ના અંત સુધીમાં કામગીરી શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. અહેવાલ મુજબ અકાસા એરનું નેરો બોડી એરક્રાફ્ટના બોઈંગ ફ્લીટને પસંદ કરવામાં આવે તેવી શક્યતા વધારે છે અને આશા છે કે વિમાન સંપાદન બાદ એર ઓપરેટર પરમિટ ઉપલબ્ધ થશે.

 આ પહેલા 28 જુલાઈના રોજ અહેવાલો સામે આવ્યા હતા કે ઝુનઝુનવાલા નવા એરલાઈન સાહસ માટે ચાર વર્ષમાં 70 વિમાનો લેવાનું વિચારી રહ્યા છે.  ઝુનઝુનવાલા નવી એરલાઈનમાં આશરે 40 ટકા હિસ્સો ધરાવે તેવી ધારણા છે અને તેઓ સાહસમાં 35 મિલિયન ડોલરનું રોકાણ કરવા માંગે છે. માહિતી અનુસાર સ્થાનિક એરલાઈન ઈન્ડિગોના ભૂતપૂર્વ ચેરમેન આદિત્ય ઘોષ, ઝુનઝુનવાલા અને જેટ એરવેઝના ભૂતપૂર્વ સીઈઓ વિનય દુબે સાથે અકાસાના સહ-સ્થાપક હશે

(8:37 pm IST)