Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

મશહૂર શાયર રાહત ઇંદોરીનુ નિધન:હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા : કોરોના રિપોર્ટ હતો પોઝિટિવ

વિશ્વ વિખ્યાત શાયરના નિધનથી ચાહકોમાં ઘેરા શોકની લાગણી

ઇન્દોર: પ્રખ્યાત શાયર રાહત ઇન્દોરીનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. તેમને કોરોના વાયરસથી પણ ચેપ લાગ્યો હતો, જેના માટે તેમને મધ્યપ્રદેશના ઇન્દોરમાં 10 ઓગસ્ટની મોડી રાતે ઓરબિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહત ઈન્દૌરીના પુત્ર સુતલજે આ અંગે માહિતી આપી હતી, બાદમાં રાહત ઈન્દોરીએ પણ આ અંગે ટ્વીટ કર્યું હતું.

રાહત ઇન્દૌરીએ ખુદ ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, ‘કોવિડના પ્રારંભિક લક્ષણો દેખાયા બાદ ગઈકાલે મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. હું ઓરબિંદો હોસ્પિટલમાં એડમિટી છું, પ્રાર્થના કરું છું કે મારે આ રોગને જલદીથી હરાવી દવ. મને અથવા ઘરે લોકોને કોલ ન કરશો, તમે મારી તબિયત અંગેની માહિતી ટ્વિટર અને ફેસબુક પર મેળવી શકશો

(5:58 pm IST)