Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કોવિદ-19 ને કારણે ભારતનો પ્રવાસ મુલતવી રાખજો : ભારતમાં વધી રહેલી ગુનાખોરી અને આતંકવાદ પણ અમેરિકન નાગરિકો માટે જોખમરૂપ : યુ.એસ.સ્ટેટ એડ્વાઇઝરીની અમેરિકાના નાગરિકોને સલાહ

વોશિંગટન : અમેરિકાના સ્ટેટ એડવાઈઝરી ડિપાર્ટમેન્ટએ તાજેતરમાં તેની વેબસાઈટ ઉપર નાગરિકો માટે મુકેલી જાણકારીમાં જણાવ્યા મુજબ કોવિદ-19 ને કારણે હાલની તકે  ભારતનો પ્રવાસ મુલતવી રાખવાની સલાહ આપી છે.
વિશેષમાં ચેતવણી આપ્યા મુજબ ભારતમાં પાકિસ્તાન અને ચીન બોર્ડર ઉપર છાશવારે થઇ રહેલા ઘર્ષણ ,આતંકવાદી હુમલાઓ ,બળાત્કાર ,તથા ગુનાખોરીના વધી રહેલા બનાવો અમેરિકન નાગરિકોને જોખમમાં મૂકી શકે છે.
ખાસ કરીને જો તમે મહિલા હો અને હાલમાં ભારતમાં હો તો એકલા નીકળતા નહીં પરંતુ કોઈને સાથે રાખીને નીકળજો  તેવી સલાહ આપી છે

(8:23 pm IST)