Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

મતદારોને હળવાશથી ન લેવાયઃ અટલ અને ઇન્દીરા પણ હાર્યા'તાઃ પવાર

મુંબઇ : ભાજપ ઉપર પ્રહાર કરતા એનસીપીના વડા શરદ પવારે કહ્યું છે કે રાજનેતાઓએ પોતાના મતદારોને હળવાશથી લેવા ન જોઇએ તેમણે કહયું છે કે શકિતશાળી નેતા જેમ કે ઇન્દીરા ગાંધી અને અટલજીને પણ ચૂંટણીમાં પરાજય સહન કરવો પડયો હતો. જો નેતા સીમા પાર કરશે તો મતદારો પાઠ ભણાવશે. એવું ન વિચારાય કે તમે કાયમ સત્તા પર રહેશો. આમ આદમી નેતાઓથી વધુ બુધ્ધીમાન છે.

(3:13 pm IST)