Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

મહારાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : છેલ્લા 24 કલાકમાં નવા 7,862 પોઝિટિવ કેસ નોંધાયા

કેસની સંખ્યા વધીને 2,38,461 થઈ : વધુ 226 લોકોના મોત થતા મૃત્યુઆંક 9,893 થયો

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 7862 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના લીધે રાજ્યમાં 226 લોકોના મોત થયા છે આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 5,336 લોકોને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ 9,893 લોકોના મોત થયા છે

   રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો અને કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 2,38,461 થઈ ગઈ છે. આ કેસમાંથી 1,32,625 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.

(12:00 am IST)