Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ઝાયડસ કેડિલાની વિરાફીનની કિંમત જાહેર : એક ડોઝના 11,955 રૂપિયા : માત્ર સાત જ દિવસમાં RTPCR નેગેટિવ આવતો હોવાનો દાવો : ઓક્સિજનની પણ જરૂર નહીં

અમદાવાદ :  કેડિલાની કોરોના સામે હથિયાર મનાતી વિરાફીનની કિંમત જાહેર કરાઈ છે એક ડોઝના 11,955 રૂપિયા જાહેર કરાયા છે વિરાફીન માત્ર સાત દિવસમાં RTPCR  નેગેટિવ આવતો હોવાનો દાવો કરાયો છે

 આ અગાઉ મહામારીમાં કોરોનાની સારવારની દવાના સંશોધનને લઇને અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાને વધુ એક સફળતા મળી છે. કંપનીએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી એવા દવા-ઇન્જેકશ વિરાફીન બનાવી છે. અને આ દવાને ભારત સરકારના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા-ડીજીસીઆઇ દ્વારા મંજુરી આપવામાં આવી છે

ઝાયડસ કેડિલા કંપનીએ તેની સંશોધિત નવી દવા વિરાફીન અગે દાવો કર્યો છે કે, આ ઇંજેકશનના ઉપયોગથી સાત દિવસમાં 91.16 ટકા કોરોના અસરગ્રસ્ત દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. આ એંટીવાયરલ ડ્રગના ઉપયોગથી દર્દી કોરોનાથી રાહત મેળવાની સામે તેની સામે લડવાની તાકાત મેળવે છે. કંપની એમ પણ જણાવી રહી છે કે, કોરોના થવાના શરુઆતના જ લક્ષણમાં જો વિરાફીન દવા આપાવામાં આવે છે, તે કોરોનામાંથી બહાર આવવા સાથે તેમને પડતી મુશ્કેલીઓ ઓછી થાય છે.

(11:24 pm IST)