Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

નરેન્દ્રભાઈ નેપાળમાં પહોંચ્યા :ઐતિહાસિક જનકપુર મંદિરે કર્યા દર્શન : જનકપુર-અયોધ્યા બસને લીલી ઝંડી આપી

ઠમંડુ: વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની બે દિવસની નેપાળ યાત્રાએ પહોંચ્યા છે આજે નરેન્દ્રભાઈ મોદીએ ઐતિહા‌િસક જનકપુર મંદિરમાં દર્શન કર્યાં હતાં.ત્યારબાદ જનકપુર-અયોધ્યા બસને લીલી ઝંડી આપી રવાના કરી હતી.અને  ભારત અને નેપાળ વચ્ચે બસ સેવા શરૂ કરાવી હતી

  અત્રે ઉલ્લેખનીય છે કે ચાર વર્ષમાં વડા પ્રધાન મોદીની આ ત્રીજી નેપાળ યાત્રા છે. છેલ્લાં કેટલાંક વર્ષથી ભારત અને નેપાળ વચ્ચેના વિશ્વાસમાં આવેલી ઓટ અને નેપાળમાં ચીનના વધતા જતા રસના કારણે મોદીની આ યાત્રા રાજકીય ક્ષેત્રે પણ મહત્ત્વની માનવામાં આવે છે. મોદી એક હાઈડ્રો પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

   નેપાળમાં નવી સરકાર બન્યા બાદ ભારત તરફથી વડા પ્રધાન મોદીની આ પહેલી ઉચ્ચ સ્તરીય યાત્રા માનવામાં આવે છે. આ દરમિયાન બંને દેશ વચ્ચે કેટલીક મહત્ત્વની સમજૂતી થવાની શક્યતા પણ છે. વડા પ્રધાન મોદીએ જનકપુરથી અયોધ્યા વચ્ચે શરૂ થનારી બસ સેવા અંતર્ગત બસને લીલી ઝંડી બતાવી હતી.

(12:46 pm IST)