Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

રાહુલના દાવાને અખિલેશની બ્રેક

વડાપ્રધાનપદનો નિર્ણય લોકસભાની ચૂંટણી બાદ જ થઇ શકેઃ આવો નિર્ણય એક પક્ષ નહિ, યુપીએ કરી શકે

લખનોૈ તા.૧૧: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ ખુદને વડાપ્રધાનપદના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે, પરંતુ કોંગ્રેસ મોરચાના સાથી પક્ષે જુદો સુર છેડયો છે.

કોંગ્રેસના સાથી પક્ષ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, વડાપ્રધાન પદ અંગે નિર્ણય લોકસભાની ચુંટણી બાદ જ લઇ શકે.

રાહુલ અંગેના મિડીયાના પ્રશ્નને ટાળવાાની કોશીશ અખિલેશે કરી હતી, પરંતુ એટલું કહયું હતું કે, વડાપ્રધાનપદ જેવા નિર્ણયો કોઇ એક પક્ષ નહિ, યુપીએની બેઠકમાંજ થઇ શકે

(11:55 am IST)