Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

મઉ રેપ અને હત્યા મામલે પીડિતાના પરિવારજનોનું યોગીના મંત્રીના નિવાસે હલ્લાબોલ :ઘરે ટમેટા ફેંક્યા

પોલીસ જલ્દી કોઈ કાર્યવાહી નહિ કરે તો અમે ગામના લોકોની સાથે મુખ્યમંત્રીના ઘરે ઘેરાવ કરશું :પીડિતાની માતા

 

લખનૌ: મઉ રેપ અને હત્યા મામલે પીડિતાના પરિવારજનો મંત્રી દારાસિંહ ચૌહાણના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું અને ઘર પર ટમેટા ફેંક્યા હતા દારાસિંહ લખનૌની રાજભવન કોલોનીમાં રહે છે લોકોનું કહેવું હતું કે મંત્રીના પ્રભાવને કારણે રેપ અને હત્યાના મામલે પોલીસ કાર્યવાહી કરતી નથી મંત્રીના ઘરની બહાર વિરોધ કલાકો સુધી ચાલ્યો હતો પોલીસને જાણ થતા ઘટના સ્થાળે પહોંચીને પ્રદશન કરતા લોકોને સમજવાની કોશિશ કરી હતી ત્યાર બાદ અટકાયત કરીને હજ઼રતગંજ પોલીસ ચોકીએ લઇ જવાયા હતા

   પ્રદર્શન કરી રહેલ દુષ્કર્મ પીડિતા-મૃતકની માતાએ ચેતવણી આપી હતી કે પોલીસ જલ્દી કોઈ કાર્યવાહી નહિ કરે તો અમે ગામના લોકોની સાથે મુખ્યમંત્રીના ઘરે ઘેરાવ કરશું

(9:11 am IST)