Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

જો વિદેશીઓને જમ્મુ-કાશ્મીર જવાનો અધિકાર, તો અમે કેમ નહીં ? : કપિલ સિમ્બલ કર્યો સવાલ

ભારતના લોકોની જગ્યાએ વિદેશીઓ પ્રત્યે આટલો પ્રેમ કેમ?

 

નવી દિલ્હી : અમેરિકા સહિત 15 દેશોના રાજદ્વારીઓની જમ્મુ- કાશ્મીર મુલાકાત વચ્ચે, કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે શુક્રવારે વિપક્ષી નેતાઓને ત્યાં ન જવા દેવા બદલ સીધા પીએમ મોદીને સવાલો કર્યા હતા. સિબ્બલે પીએમ મોદીને પૂછ્યું કે 'ભારતની બહાર લોકોને જમ્મુ-કાશ્મીર જવાનો અધિકાર છે', તો દેશના નેતાઓને કેમ આ અધિકાર નથી. તેમણે જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કર્યું અને કહ્યું કે તે ત્યાંથી માહિતીનો પ્રવાહ પુન:સ્થાપિત કરશે.

સિબ્બલે કહ્યું કે સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી નોંધપાત્ર છે કે, સીઆરપીસીની કલમ 144 હેઠળ જારી કરાયેલા ઘણા આદેશોને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વૈચારિક મતભેદને દબાવવા માટે વાપરી શકાતા નથી.

સિબ્બલે કહ્યું, 'હું વડા પ્રધાનને પૂછવા માંગુ છું કે ભારતના લોકોની જગ્યાએ વિદેશીઓ પ્રત્યે આટલો પ્રેમ કેમ? ઓછામાં ઓછું તમારે ભારતના લોકો વિશે વધુ પારદર્શક અને ખુલ્લા રહેવું હોવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું, 'તમે અમને જમ્મુ-કાશ્મીર જવાની મંજૂરી કેમ આપી નહીં? તમે કેમ આપણા પર અથવા ભારતના લોકો પર વિશ્વાસ નથી કરતા? જો ભારતની બહારના લોકોને જમ્મુ-કાશ્મીર જવાનો અધિકાર છે તો આપણને કેમ નહીં? શું તમે હિંસા માટે ઉશ્કેરણી કરનાર જેવા છો? '

(8:47 am IST)