Gujarati News

Gujarati News

News of Thursday, 10th December 2020

કાશ્મીર સરહદે પાકિસ્તાને વિનાકારણ ફાયરિંગ અને તોપગોળાનો મારો ચલાવતા ભારતનો જબરો જવાબ: પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા

કાશ્મીર સરહદે મોટા પાયે વળતી ભારતીય જવાબી કાર્યવાહીમાં  5 પાકિસ્તાની સૈનિકોનો માર્યા ગયાનું ટ્વિટર ઉપર એક ટ્વિટમાં જાહેર થયું છે. 

પાકિસ્તાને વિનાકારન લાઈન ઓફ કન્ટ્રોલ ઉપર સીધી જ યુદ્ધવિરામ ભંગની શરૂઆત કરી બેફામ ફાયરિંગ અને તોપગોળાનો મારો ચલાવતા ભારતીય સૈનિકો સચોટ વળતો હુમલો કરી જોરદાર પ્રતિસાદ આપી રહ્યા છે.  મોટાપાયે જાનહાનિ અને ખાનાખરાબી સર્જાયાના અહેવાલો મળે છે.  વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર થવા સંભવ.

 

(8:36 am IST)