Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ઘર ખરીદનારને સરકારે આપી મોટી ભેટ : હવે કમ્પ્લીશન ઘરો પર નહીં આપવો પડે GST

મંત્રાલયે કહ્યું કે જે વેચાણના સમય કાર્ય સમાપ્ત પ્રમાણપત્ર પ્રાપ્ત સંપત્તિઓ પર જીએસટી લગાવવામાં આવશે નહીં પરંતુ બાંધકામ હેઠળ અસ્કયામતો અથવા આવી તૈયાર મિલકતો માટે જેના માટે કાર્ય સમાપ્ત પ્રમાણપત્ર થયું નથી, તેના વેચાણ પર જીએસટી આપવો પડશે

નવી દિલ્હી તા. ૧૦ : નાણા મંત્રાલયે શનિવારે કહ્યું કે જે રીયલ એસ્ટેટ સંપત્તિ માટે વેચાણ સમય કાર્ય સમાપ્તનું પ્રમાણપત્ર મળી ચૂકયું હશે, તેમના ખરીદારોને ગૂડ્ઝ અને સર્વિસિસ ટેકસ (જીએસટી) આપવાનો રહેશે નહીં. મંત્રાલયે કહ્યું કે જે વેચાણના સમય કાર્ય સમાપ્ત પ્રમાણ પત્ર પ્રાપ્ત સંપત્ત્િ।ઓ પર જીએસ્ટી લગાવવામાં આવશે નહીં, પરંતુ બાંધકામ હેઠળ અસ્કયામતો અથવા આવી તૈયાર મિલકતો માટે જેના માટે કાર્ય સમાપ્ત પ્રમાણપત્ર પ્રાપ્ત થયું નથી, તેમના વેચાણ પર જીએસ્ટી આપવો પડશે.

નાણા મંત્રાલયે બિલ્ડરોને જીએસટીના નુકસાન દરને ખરીદનારાઓને લાભ આપવા માટે મિલકતના ખર્ચમાં ઘટાડો કરવા જણાવ્યું છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, તૈયાર સંપત્તિના ખરીદારને સૂચનામાં આ વાત લાવવામાં આવી રહી છે કે સક્ષમ સત્તાથી કામ પૂરૂ હોવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરી કરેલા મકાનો, ઇમારતો અને તૈયાર ફલેટ્સના વેચાણ પણ કોઇપણ પ્રકારનો જીસએટી આપવાનો રહેશે નહીં.

મંત્રાલયે કહ્યું છે કે જવાહરલાલ નહેરૂ રાષ્ટ્રીય નવીનીકરણ યોજના, રાજીવ આવાસ યોજાના, પ્રદાનમંત્રી આવાસ યોજના તથા રાજય સરકારની અન્ય આવી સસ્તી આવાસ યોજનાઓ પર ૮ ટકાના દરથી જીએસટી લાગુ થશે. આ જીએસટીને બિલ્ડર તેમના સંચિત ઇનપુટ ટેકસ ક્રેડિટમાં સમાવી શકે છે.

મંત્રાલયની રજૂઆતમાં એવું કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના સસ્તી આવાસ યોજના મામલે ઇનપુટ ટેકસ ક્રેડિટની ગોઠવણ કર્યા બાદ બિલ્ડર અથવા ડેવલપરને મોટા ભાગનાં કેસોમાં જીએસટીનું કેસ ચુકવણી કરવાની આવશ્યકતા રહેશ નહીં. આ કિસ્સાઓમાં બિલ્ડરના ખાતામાં પહેલાથી જ ઇનપુટ ટેકસ ક્રેડિટ એકત્રિત કરશે, જેનાથી તે જીએસટી માટે ગોઠવણ કરી શકે છે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે સસ્તી આવાસ યોજના ઉપરાંત બીજી આવાસ યોજના અથવા મકાનો અને ફલેટના ભાવ જીએસટી અમલના કારણે વધવા જોઇએ નહીં. બિલ્ડરથી કહેવામાં આવ્યું છે કે તે નીચા કરવેરાના બોજનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડશે.(૨૧.૫)

(9:42 am IST)