Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

PNB બાદ હવે SBIમાં સામે આવ્યું કૌભાંડ

૫૫૫૫.૪૮ કરોડ રૂપિયાના છેતરપીંડીના ૧૩૨૯ કેસ સામે આવ્યા : RTIમાં ખુલાસો

નવી દિલ્હી તા. ૧૦ : દેશની સૌથી મોટી બેંક એસબીઆઈમાં હાલના ફાઈનાન્સિયલ વર્ષના પહેલા છ મહિના દરમિયાન કુલ ૫,૫૫૫.૪૮ કરોડ રૂપિયાના બેન્કિંગ ફ્રોડના ૧,૩૨૯ કેસ સામે આવ્યાં હતાં. મધ્યપ્રદેશના નીમચ નિવાસી આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે મંગળવારે જણાવ્યું કે સૂચનાના અધિકાર હેઠળ તેમને આ જાણકારી મળી હતી. તેમણે પોતાની આરટીઆઈ અરજી પર ભારતીય સ્ટેટ બેંક(SBI) તરફથી મોકલાયેલા જવાબનો ઉલ્લેખ કરી જણાવ્યું કે આ ફાઈનાન્શિયલ વર્ષના પહેલા ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં બેંકમાં કુલ ૭૨૩.૦૬ કરોડ રુપિયાના કુલ ૬૬૯ મામલા સામે આવ્યા છે.

એસબીઆઈમાં જાહેર કરાયેલા ફાઈનાન્શિયલ વર્ષના બીજા ત્રિમાસીક (જુલાઈ-સપ્ટેમ્બર)માં કુલ ૪૮૩૨.૪૨ કરોડ રૂપિયાના બેન્કિંગ છેતરપિંડી સંબંધિત ૬૬૦ પ્રકરણ સામે આવ્યાં છે. ગૌડે પોતાની આરટીઆઈ અરજીમાં એસબીઆઈથી એ પણ પૂછ્યું હતું કે આ દરમિયાન બેન્કિંગ છેતરપિંડીથી બેંકને કેટલું નુકસાન થયું હતું. આ પર બેંકે જવાબ આપ્યો કે આ નુકસાનની રકમનું પરિમાણ નક્કી કરી શકાય નહિ.

આરટીઆઈ કાર્યકર્તાએ એસબીઆઈ પાસેથી એ પણ જાણવા ઈચ્છ્યું હતું કે આ અવધિમાં તેના કેટલા ગ્રાહક બેન્કિંગ છેતરપિંડીના શિકાર થયાં અને આ કારણોસર તેમને કેટલી રકમ ગુમાવવી પડી હતી. જોકે, સાર્વજનિક ક્ષેત્રના બેંક સંબંધિત પ્રશ્ન પર કહ્યું કે આ રીતની જાણકારી તેમના દ્વારા એકઠી કરી શકાતી નથી. સૂચનાના અધિકાર હેઠળ ૨૦૦૫ના પ્રાવધાન હેઠળ છૂટ છે.

(10:43 am IST)