Gujarati News

Gujarati News

News of Tuesday, 10th March 2020

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેનાના એમ્યુનિશન ડેપોમાં વિસ્ફોટ :બે મજૂરોના મોત : અન્ય બે ગંભીર

ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી :વિસ્ફોટ થવાના કારણની તપાસ કરી

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સેનાના એમ્યુનિશન ડેપોમાં વિસ્ફોટ થયો હતો. જેમાં બે મજૂરો ગંભીર રીતે ઇજા થઈ હતી અને બે મજૂરોના મોત થયા હતા. ત્યાંના અધિકારીએ જણાવ્યા અનુસાર આ વિસફોટ અનંતનાગના ખુંદરુમાં સોમવાર બપોરે થયો હતો. જેમાં બે મજૂરો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય બે મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખુંદરુ, કાશ્મીરના સૌથી મોટા એમ્યુનિશન ડેપો (હથિયારોનુ ગોડાઉન) માંથી એક છે. એમ્યુનિશન ડેપોમાં વિસ્ફોટ જેવી ગંભીર દુર્ઘટનાના પગલે સ્થાનિક પ્રશાસને કેસ નોંધી તપાસ હાથ ધરી છે. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે વિસ્ફોટ થવાના કારણની તપાસ કરી રહી છે.

(12:11 am IST)