Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

ઝારખંડમાં ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ૧૦ લોકોના મોત

રામગઢમા કાર અને ટ્રક વચ્ચે અકસ્માતઃ કારનો ખુદડો બોલી ગયા

રાંચીઃ ઝારખંડના રામગઢ જિલ્લામાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક કાર અને ટ્રક અથડાતા તેમાં કારમાં બેઠેલા એક જ પરિવારના ૧૦ લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ મહિલા, ૩ બાળકો અને ચાર પુરૂષનો સમાવેશ થાય છે. આજે સવારે કુજુ નજીક થયેલાઆ અકસ્માતમાં કારનો ખુડદો બોલી ગયો હતો. જેમાં ૧૦ વ્યકિતના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટના બાદ કારમાં રહેલા લોકોની ચિચીયારીઓથી વહેલી સવારે વાતાવરણ ગુંજી ઉઠતા આ વિસ્તારમાં રહેતા કેટલાંક લોકો ઘટનાસથળે દોડી આવ્યા હતા. અને કારમાં ફસાયેલા લોકોના મૃતદેહો બહાર કાઢવામા મદદ કરી હતી.

આ ઘટનાને નજરે નિહાળનારાઓેના જણાવ્યા અનુસાર આજે સવારે રામગઢ જિલ્લાના કુજુ નજીકથી પસાર થઈ રહેલી એક કાર કે જેમાં ૧૦થી વધુ લોકો બેઠા હતા તે કાર સાથે સામેથી આવતી ટ્રક અથડાતા ધડાકાભેર બંને વાહન ટકરાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.જેના કારણે કારમાં જઈ રહેલા ૧૦ લોકોના ઘટનાસ્થળે જ મોત થતા કારમાં ફસાયેલા લોકોને આસપાસના વિસ્તારના રહીશોએ બહાર કાઢ્યા હતા. જોકે બાદમાં આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી. આ અગાઉ પણ ગત ૧૮મીએ મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લામાં એક ટ્રક ચાલકે ઓટો રિક્ષાને ટકકર મારતા તેમાં છ લોકોના મોત થયા હતા. આ તમામ લોકો કરીલા માતાના મંદરમાં યોજાયેલા લગ્ન સમારોહમાંથી તેમના ગામ પરત જઈ રહ્યા હતા. તે સમયે આ અક્સ્માત થયો હતો.ટ્ઠ

(12:07 pm IST)