Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

વિદેશોમાં વસતા 16 ભારતીયો વિરુદ્ધ એન્ટી ટેરિસ્ટ લો હેઠળ ચાર્જશીટ દાખલ : ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ( NIA ) નું કડક પગલું : અલગ ખાલિસ્તાનની રચનાનું ષડયંત્ર રચવાનો આરોપ


ન્યુદિલ્હી : ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વિદેશોમાં વસતા 16 ભારતીયો વિરુદ્ધ  એન્ટી ટેરિસ્ટ લો હેઠળ ચાર્જશીટ દાખલ કર્યું છે.જેઓ સામે અલગ ખાલિસ્તાનની રચનાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવાયો છે.

આ 16 ભારતીયો પૈકી 7 અમેરિકામાં , 6 ભારતીયો યુ.કે.માં તથા 3 ભારતીયો કેનેડામાં વસવાટ કરે છે.

આ 16 ભારતીયો શીખ્સ ફોર જસ્ટિસ ના મેમ્બર છે.જે ઓર્ગેનાઈઝેશનને ગેરકાયદે ઘોષિત કરાયું છે.તેવો આરોપ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

 

(8:24 pm IST)