Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

સીરમ ઈન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેકની કોરોના વેકસીનની દરખાસ્ત આજે સરકારે ફગાવી દીધી છે

સલામતીની ઉણપ અને તેની ક્ષમતા અંગેના અપૂરતા 'ડેટા'ના કારણોસર આ બંને કંપનીની કોરોના વેકસીનના ઉપયોગની દરખાસ્ત ફગાવી દેવાયેલ છે. સંભવતઃ ઝાયડસ - કેડીલાની સંપૂર્ણ સ્વદેશી મનાતી વેકસીન જે ત્રીજા તબક્કામાં છે તે મેદાન મારી જાય તો નવાઈ નહિં ઃ ૨૫ ડિસેમ્બર અટલજીના જન્મદિવસથી દેશભરમાં કોરોના વેકસીન લગાવવાનું શરૃ થાય તેવી સંભાવના ચર્ચામાં છે. જો કે સત્તાવાર સમર્થન મળતુ નથી.

(5:51 pm IST)