Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

સોનૂ સૂદે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે મોટી રકમ લીધી ઉધાર? : મિલકતો પણ રાખી દીધી ગિરવે?

મુંબઇ,તા. ૯: બોલિવૂડ એકટર સોનૂ સૂદ કોરોના કાળથી લોકોના મસીહા બનતા રહ્યા છે. લોકોના મનમાં સવાલ થાય છે કે આખરે સોનૂ સૂદ કઈ રીતે લોકોની મદદ કરી રહ્યા છે. હાલમાં એક રિપોર્ટમાં જાણકારી મળી છે કે પ્રવાસી શ્રમિકોને ઘરે પહોંચાડવા માટે, તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરવા અને તેમના રહેવા માટે ઘર બનાવવા માટે, લોકોની સારવાર માટે સોનૂ સૂદે પોતાની કિંમતી ચીજોને પણ ગિરવે રાખી છે.સોનૂ સૂદે જરૂરિયાતમંદની મદદ કરવા માટે પોતાની ૮ પ્રોપર્ટી ગિરવે રાખી છે. તેનાથી તેમને ૧૦ કરોડ રૂપિયા ઉધાર લીધા છે. આ રૂપિયાથી તેઓ લોકોની મદદ કરવા માટે હાથ લંબાવી રહ્યા છે.સોનૂએ પોતાની ૨ દુકાનો અને ૬ ફ્લેટ્સ ગિરવે રાખ્યા છે. આ પ્રોપર્ટીના માલિક સોનૂ અને તેમની પત્ની સોનાલી છે. આ બંને દુકાનો ગ્રાઉન્ડ ફ્લોર પર છે અને ફ્લેટ્સ શિવસાગર કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છે. આ હાઉસિંગ સોસાયટી ઈસ્કોન મંદિરની પાસે એબી નાયર રોડ પર આવેલા છે. દસ્તાવેજ અનુસાર સોનૂએ ૧૦ કરોડ રૂપિયાના લોન પર ૫ લાખ રૂપિયાના સ્ટેમ્પ શુલ્કનું ભુગતાન કર્યું છે. જો કે સોનૂ તરફથી આ ન્યૂઝને લઈને કોઈ કન્ફર્મેશન મળ્યું નથી.

સોનૂ સૂદ ટવિટર પર એકિટવ છે અને જરૂરિયાતમંદ લોકો તેમની સાથે સોશ્યલ મીડિયા પર જોડાઈ રહ્યા છે. આ સિવાય તેઓએ હેલ્પ લાઈન નંબર પર ચાલુ કર્યો છે.

(3:37 pm IST)