Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

સ્વામીનાથન આયોગ મુજબ સીટુ-૫૦, એમએસપી અને કેન્દ્રીય કૃષિ મુલ્ય આયોગને સંવૈધાનીક દરજ્જો આપી સ્વાયતતા આપો : નહીંતર મારૂ છેલ્લુ આંદોલન કરીશ

અન્ના હજારેનું કેન્દ્ર સરકારને અલ્ટીમેટસ

કેન્દ્રીય કૃષિ મૂલ્ય આયોગને સંવૈધાનીક દરજ્જો આપી સ્વાયતતા આપવાથી ખેડૂતોને સાચુ મુલ્ય મળશે : દેશના દરેક ખેડૂતોએ રસ્તા ઉપર આવવું જરૂરી : હિંસા નહીં અહીંસક રીતે આંદોલન જરૂરી છે : ખેડૂતોના પ્રશ્નોને કાયમી ઉકેલ લાવવા બધાએ રસ્તા ઉપર ઉતરવું જરૂરી : ખેડૂતોને મારૂ સમર્થન ગઇ કાલે હતું, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે : હું આંદોલન દેશ માટે કરતો આવ્યો છું : છેલ્લા ૪૦ વર્ષમાં મે કોઇ પણ સરકાર સામે આંદોલન કર્યા છે : હું કોઇ પણ પક્ષ, પાર્ટી અને વ્યકિત સામે નથી જોયુ : દેશ અને સમાજ માટે આંદોલન કર્યા : મે જીવનમાં નક્કી કર્યું છે કે ગામ, સમાજ અને દેશની સેવા કરતા જ જીવીશ અને મરીશ.

(3:35 pm IST)