Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

ટીકરી બોર્ડર પર લગભગ ૫૦% ખેડૂતો બિમારઃ શરદી, ઉધરસ અને કાનમાં દુખાવાની તકલીફ

નવી દિલ્હી તા. ૯ : ઠંડી ઋતુમાં ટીકરી બોર્ડર પર ખેડૂતોને ઝડપથી શરદી, ઉધરસ થઇ રહ્યા છે. મોટી સંખ્યામાં આ લોકોને કાનમાં દુખાવાની સમસ્યા પણ આવી રહી છે.

સ્થળ પર મેડીકલ સુવિધા આપી રહેલા ડોકટરોનું કહેવું છે કે ખેડૂત આંદોલન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં લગભગ ૫૦ ટકા લોકો આ બિમારીની ઝપટમાં આવી ચૂકયા છે. તેમાં સૌથી વધારે સંખ્યા બુઝર્ગોની છે. અહીં રોજ સેંકડો દર્દીઓની સારવાર કરીને તેમને આયુર્વેદીક દવાઓ આપી રહ્યા છે.

(3:21 pm IST)