Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

હાશ... રાજકોટ શહેર - જીલ્લામાં કોરોનાથી આજે ૧ મોત

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે કોરોનાથી શહેર અને જીલ્લામાં ૪ મોત પૈકી એક પણ મૃત્યુની નોંધ નહિઃ શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૧૮૪ બેડ ખાલી

રાજકોટ, તા. ૯ : શહેર અને જીલ્લામાં કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં ફરી ઘટાડો જોવા મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગઇકાલે ૪ મૃત્યુ થયા હતા. જયારે આજે માત્ર ૧ દર્દીઓનાં મોત થયું છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી ૪ પૈકી એક પણ મૃત્યુની નોંધ થઇ નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૮નાં સવારે ૮ વાગ્યાથી તા.૯ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૧ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૧નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૪  પૈકી એક  મૃત્યુ જાહેર કરવામાં આવ્યા નથી. કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૨૧૮૪ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે

(11:26 am IST)