Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

તેલંગાણામાં પણ નામ બદલવાની નેમ :બીજેપી નેતાએ કહ્યું,,, સત્તામાં આવશું તો હૈદ્રાબાદનું નામ બદલી નખાશે

હૈદરાબાદ સહિત રાજ્યના બીજા શહેરોનું નામ મહાપુરુષોનું નામ પર રાખશે:રાજાસિંહ

 

તેલંગાણા માં પણ નામ બદલવાની નેમ વ્યક્ત કરાઈ છે ભાજપના નેતા રાજા સિંહે કહ્યું કે, જો અમારી પાર્ટી તેલંગાણામાં સત્તામાં આવશે તો તે હૈદરાબાદનું નામ બદલી નાખશે. બીજેપી હૈદરાબાદ સહિત રાજ્યના બીજા શહેરોનું નામ મહાપુરુષોનું નામ પર રાખશે.

  રાજા સિંહે જણાવ્યું કે, ભાજપા જ્યારે તેલંગાણામાં સત્તામાં આવશે તો અમારું પહેલું લક્ષ્ય વિકાસ હશે અને આ તમામ રાજ્યના ફરીથી નામકરણ કરવામાં આવશે, તમામના નામ મહાપુરુષોના નામ પર રાખવામાં આવશે, જેમણે આપણા દેશ અને તેલંગાણા માટે કામ કર્યું છે.

  હાલમાં ભંગ થયેલી વિધાનસભાના સભ્ય રાજા સિંહે કહ્યું કે, 16મી શતાબ્દીમાં આ વિસ્તાર પર શાસન કરનાર કુતુબશાહી વેશના શાસકોએ ભાગ્યનગરનું નામ બદલીને હૈદરાબાદ કરી નાખ્યું હતું. તેના સિવાય ઘણા અન્ય સ્થાનોના નામ બદલી નાખવામાં આવ્યા હતા. તેમાં સિંકદરાબાદ અને કરીમનગરનો પણ સમાવેશ થાય છે.

(12:46 pm IST)