Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

મુંબઈમાં ચાલતી ટ્રેનમાં આગ ભભૂકી : આખા વાશી સ્ટેશનને ખાલી કરાવાયું : પાવર સપ્લાઈ બંધ કરાયો

આગના કરાણે 12 મિનિટ સુધી રેલવે સેવાઓને બંધ કરી દેવાઈ

મુંબઈના વાશી રેલવે સ્ટેશન પર પનવેલ જઈ રહેલી લોકલ ટ્રેનમાં આગ લાગી હતી આગના કારણે વાશી રેલવે સ્ટેશનને ખાલી કરાવવામાં આવ્યુ હતુ. આ આગ પેંટાગ્રાફમાં લાગ હતી જેથી ટ્રેનને ખાલી કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે સ્ટેશન પર પાવર સપ્લાઈ બંધ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો. જોકે, વાશી સ્ટેશન પર લાગેલી આગના કારણે કેટલીટ ટ્રેનને અસર થઈ હતી.

હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ આ ઘટનાના કરાણે લાઈન પર દરેક ટ્રેન લેટ થઈ છે. જાણકારી પ્રમાણે કોઈએ પેન્ટોગ્રાફમાં બેગ ફેંકી દીધુ હતું. જેના કારણે શોર્ટ સર્કિટ થયો અને આગ લાગી ગઈ. આગના કરાણે 12 મિનિટ સુધી રેલવે સેવાઓને બંધ કરી દેવામાં આવી હતી પરંતુ હવે તેને ચાલું કરી દેવામાં આવી છે.

(12:01 pm IST)