Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

મોદીને વારણાસીમાં જીતાડનારા લોકોને ગુજરાતમાં બનાવાયા ટાર્ગેટ: માયાવતી

અમદાવાદ: ગુજરાતમાં ઉત્તર ભારતના લોકોને ટાર્ગેટ બનાવવામાં અને તેમના પર હુમલો કરવાના મામલે બસપા પ્રમુખ માયાવતીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી અને બીજેપી પર નિશાન સાધ્યું હતું

 તેમણે કહ્યું હતું કે, ‘જે લોકોએ વારાણસીમાં મોદીને જીતાડ્યા હતા, તેમને વોટ આપ્યા હતા, આજે તે લોકોને ગુજરાતમાં ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં છે. આ દુ:ખની વાત છે.’  

  માયાવતીએ કહ્યું હતું કે ગુજરાતમાં બીજેપી સરકારને ઉત્તર ભારતીય લોકો પર હુમલો કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.

   ગુજરાતમાં હિન્દીભાષી પ્રવાસીઓ પર હુમલા બાદ તેમનું સ્થાળાતંર ઝડપી બન્યું છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના અધ્યક્ષ મહેશસિંહ કુશવાહએ દાવો કર્યો છે કે હાલની સ્થિતિને જોતા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારના લગભગ 20 હજાર લોકો ગુજરાતમાંથી બહાર નીકળી ગયા છે

(1:06 pm IST)