Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

શાહને નવી જવાબદારી સોંપી ગુજરાતના સહકાર મોડેલ થકી કો-ઓ.સેકટરને મજબુત કરવા વ્યૂહ

સહકારી મંડળીઓની પહોંચ ગામડે ગામડે છે અને આ મંડળીઓના સંગઠનમાં સુધારો કરીને, સરકાર સહકારીના લાભોને ગરીબો સુધી પહોંચાડવા માંગે છે

નવી દિલ્હી, તા.૯: દેશમાં નવા સહકાર મંત્રાલયની રચના કરાઈ છે. એવી અટકળો હતી કે કેબિનેટના વિસ્તરણ પછી આ મંત્રાલયની જવાબદારી કોઈ મંત્રીને સોંપવામાં આવશે, પરંતુ આ જવાબદારી નવા મંત્રીને સોંપવાને બદલે મંત્રાલય ગૃહ પ્રધાન અમિતભાઇ શાહના હવાલે કરવામાં આવ્યું છે. દાયકાઓ પછી પહેલીવાર એવું બન્યું છે કે દેશના ગૃહ પ્રધાનને કેટલાક અન્ય મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી હોય. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શાહને સહકારી મંત્રાલય સમજી-વિચારીને આપ્યું છે. જેની પાછળ ઘણા મહત્વના કારણો છે.

મંત્રીમંડળ વિસ્તરણના એક દિવસ પહેલા જ સહકારી મંત્રાલય બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. શપથ ગ્રહણના બીજા જ દિવસે જાહેરાત કરવામાં આવી કે ગૃહ પ્રધાન અમિતભાઇ શાહ નવા મંત્રાલયની જવાબદારી સંભાળશે. વડાપ્રધાને અમિતભાઇ શાહને આ મંત્રાલય માટે કેમ પસંદ કર્યા તેની પાછળનું વિશેષ કારણ છે. સામાન્ય રીતે ગૃહ પ્રધાનને બીજો ચાર્જ આપવામાં આવતો નથી, પરંતુ અમિતભાઇ શાહને સહકારી મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. અમિતભાઇ શાહને આ મંત્રાલય માટે પસંદ કરવાનું વિશેષ કારણ શું છે?

ખરેખર, સહકારી મંડળીઓની પહોંચ ગામડે ગામડે છે અને આ મંડળીઓના સંગઠનમાં સુધારો કરીને, સરકાર સહકારીના લાભોને ગરીબો સુધી પહોંચાડવા માંગે છે. તેથી જ લાંબા અનુભવ ધરાવતા અમિતભાઇ શાહને આ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. સમૃદ્ઘિથી સહકારીના સૂત્ર થકી ગામડાના છેલ્લા માણસને સહકારીનો લાભ કેવી રીતે મળે તેની નીતિ બનાવાશે.

દેશભરમાં ચાલી રહેલી સહકારી ચળવળને મજબૂત કરવા માટે એક અલગ સહકાર મંત્રાલય બનાવાયું છે. એક અલગ વહીવટ, કાનૂની અને નીતિ માળખું બનાવાશે. મોદીના આ વિશેષ મિશનની જવાબદારી સહકારી માળખાના માસ્ટર અને વ્યૂહરચનામાં માહિર ગણાતા શાહને સોંપવામાં આવી છે. અમિત શાહને આ મંત્રાલયનો હવાલો સોંપવા પાછળનો ઉદ્દેશ સહકારી ક્ષેત્રને ફરી જીવંત કરવાનો છે. અમિત શાહ પાસે સહકારી ક્ષેત્રે કામ કરવાનો લાંબો અનુભવ છે. અમિત શાહ ગુજરાતના રાજકારણમાં હતા ત્યારે તેમણે સહકારી ક્ષેત્રમાં પક્ષનો ધ્વજ લહેરાવ્યો હતો અને નફો કમાવવાના નવા રેકોર્ડ પણ બનાવ્યો હતો. સહકારી ક્ષેત્રે શાહનું ગુજરાત મોડેલ આ કારણોસર ચર્ચામાં રહ્યું છે.

અમિતભાઇ શાહ ૩૬ વર્ષની વયે અમદાવાદ જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ બન્યા. તે સમયે એડીસીબી એટલે કે અમદાવાદ જિલ્લા સહકારી બેંકના સૌથી યુવા ચેરમેન હતા. અમિત શાહે તેમના એક વર્ષના કાર્યકાળ દરમિયાન બેંકનું ૨૦ કરોડ ૨૮ લાખનું નુકસાન પૂર્ણ કર્યું હતું. અને બેંકને ન માત્ર નુકસાનમાંથી બહાર કાઢી પણ તે જ વર્ષે બેંકે ૬ કરોડ ૬૦ લાખનો નફો પણ કરાવ્યો હતો. દેશમાં ચાલતી દ્યણી સહકારી બેંકો કાં તો ભ્રષ્ટાચારનો શિકાર છે અથવા તો નુકસાનમાં છે. આવી બેંકોને ફરીથી પાટા પર લાવવાની જવાબદારી હવે શાહના શિરે છે. અમિત શાહને સહકારી ક્ષેત્રનો લાંબો અનુભવ છે, ગુજરાતમાં તેમણે દ્યણી ડૂબતી સહકારી બેંકોને પુનજીર્વિત કરી છે, શાહના આ અનુભવનો દેશના સહકારી ક્ષેત્રને મોટો ફાયદો થઈ શકે છે.

અલગ સહકારી મંત્રાલયથી સહકારી મંડળીઓની રચનામાં સુધારણા કરવામાં આવશે. જોકે, આ મંત્રાલયની રચના રાજકીય પક્ષો પર દબાણ પણ વધારી શકે છે. મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસની સહકારી મંડળીઓ પર સારી પકડ છે. આવી સ્થિતિમાં, અલગ સહકારી મંત્રાલય સાથે મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધી શકે છે. મહારાષ્ટ્રમાં સહકારી મંડળીઓ કોંગ્રેસ અને એનસીપીના કબજામાં છે, નવા સહકારી મંત્રાલય કોંગ્રેસ અને એનસીપીના સહકારી રાજકારણને અસર કરી શકે છે. જલ શકિતના નામે મોદી સરકારે પહેલેથી જ એક નવું મંત્રાલય બનાવ્યું છે. હવે નવું મંત્રાલય દેશભરની સહકારી મંડળીઓના સમારકામનું કામ કરશે.

દેશમાં રચાયેલી સહકારી મંડળીઓને મજબૂત કરવા સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી છે. કેટલાક રાજયોમાં આવા વિભાગો છે, પરંતુ અત્યાર સુધી કેન્દ્ર સરકારના સ્તરે સહકારી ક્ષેત્ર માટે કોઈ અલગ મંત્રાલય નહોતું. દેશમાં સહકારી મંડળીઓ દ્વારા ગામડા, ગરીબ અને ખેડુતોને લાભ આપવા માટે બનાવવામાં આવેલું આ મંત્રાલય દ્યણું મહત્ત્વનું સાબિત થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મંત્રાલયનું મહત્ત્।વ કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય જેવું જ હશે.

(3:16 pm IST)