Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

કુલ કેસ થયા ૩,૦૭,૫૨,૯૫૦

૨૪ કલાકમાં ૪૩૩૯૩ કેસઃ ૯૧૧ લોકોના મોત

નવી દિલ્હી, તા.૯: છેલ્લા ૨૪ કલાકમાં ૪૩૩૯૩ નવા કેસ સામે આવ્યા છે અને ૯૧૧ના મોત થયા છે આ દરમ્યાન ૪૪૪૮૯ લોકો સાજા પણ થયા છે. દેશમાં કુલ કેસ થયા છે ૩,૦૭,૫૨,૯૫૦.

દેશમાં કોરોનાની સ્થિતિ પાછી ચિંતાજનક જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૩ હજારથી વધુ કેસ નોંધાયા છે. જયારે ૯૧૧ લોકોના કોરોનાથી જીવ ગયા છે. ગઈ કાલે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાના નવા ૪૫,૮૯૨ કેસ નોંધાયા હતા. જયારે ૮૧૭ લોકોના કોરોનાથી મોત થયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૩,૩૯૩ કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો ૩,૦૭,૫૨,૯૫૦ પર પહોંચ્યો છે. એક દિવસમાં ૪૪,૪૫૯ દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. અત્યાર સુધીમાં ૨,૯૮,૮૮,૨૮૪ દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં ૪,૫૮,૭૨૭ લોકો સારવાર હેઠળ છે.

કોરોનાથી છેલ્લા ૨૪ કલાકમાં ૯૧૧ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ ૪,૦૫,૯૩૯ લોકોએ અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે.

દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ ૩૬,૮૯,૯૧,૨૨૨ ડોઝ અપાયા છે. જેમાંથી ૪૦,૨૩,૧૭૩ ડોઝ છેલ્લા ૨૪ કલાકમાં અપાયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના ૧૭,૯૦,૭૦૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરાયેલા કોરોના ટેસ્ટિંગનો આંકડો હવે ૪૨,૭૦,૧૬,૬૦૫ પર પહોંચી ગયો છે.

(11:54 am IST)