Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

દેશમાં કોરોના ધીમો પડ્યો : નવા 34.409 કેસ નોંધાયા : વધુ 35.330 દર્દીઓ રિકવર થયા : વધુ 468 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.05.527 થયો :એક્ટીવ કેસ 4.53.435 થયા : કુલ કેસની સંખ્યા 3.07.43.013 થઇ

સૌથી વધુ કેરળમાં 13.772 કેસ, તામિલનાડુમાં 3211 કેસ,આંધ્રપ્રદેશમાં 2998 કેસ, કર્ણાટકમાં 2530 કેસ,ઓરિસ્સામાં 2542 કેસ , આસામમાં 2644 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા  34,409 કેસ નોંધાયા છે. જ્યારે 35.330 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 34,409 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 468 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.05.527 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 34.409 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.07.43.013 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.53.435 થઇ છે છેલ્લા 24 કલાકમાં 35.330 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,98.71.850 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ કેરળમાં 13.772 કેસ, તામિલનાડુમાં 3211 કેસ,આંધ્રપ્રદેશમાં 2998 કેસ, કર્ણાટકમાં 2530 કેસ,ઓરિસ્સામાં 2542 કેસ , આસામમાં 2644 કેસ નોંધાયા છે

(1:05 am IST)