Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કોરોનાથી ભારતીય અર્થવ્યવસ્થાને બહાર નિકળવામાં લાંબો સમય લાગશેઃ રઘુરામ રાજન

નવી દિલ્હીઃ ભારતીય રીઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતીય ઈકોનોમી પર કોરોના સંકટની અસરને લઈને કહ્યુ છે કે તેમાથી બહાર આવવામાં ઘણો સમય લાગશેઃ તેમણે કહ્યુ હતુ કે અર્થવ્યવસ્થામાં સુધારાની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ હજુ પણ ઘણુ કરવાનું બાકી છેઃ અર્થતંત્રને સંપૂર્ણ રીકવર થવામાં ઘણો લાંબો સમય લાગશેઃ કોરોનામાં નિયંત્રણ, વેકસીન મળવા, ટેસ્ટીંગનો દાયરો વધારવા અને મેડીકલ પોલીસી ઠીકઠાક કર્યા બાદ ભારતનંુ અર્થતંત્ર દોડવા લાગશેઃ ભારત અમેરિકાની જેમ બધી કંપનીઓને બેલઆઉટ આપી ન શકે.

(10:06 am IST)