Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કોંગ્રેસનો નવો દાવ : યુપી માટે અલગથી જાહેર કરશે મેનીફેસ્ટો

શિક્ષામિત્રો, હંગામી કર્મચારીઓ, ખેડૂતો માટે અલગથી વાયદો કરવામાં આવશે

ઉત્તરપ્રદેશમાં લોકસભાના ગઢમાં જીત મેળવવા માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યુ છે. પ્રિયંકા ગાંધીને યુપીમાં મેદાનમાં ઉતાર્યા બાદ કોંગ્રેસે હવે યુપી માટે અલાયદો મેનિફેસ્ટો જાહેર કરવાનુ નક્કી કર્યુ છે.જેમાં શિક્ષામિત્રો, હંગામી કર્મચારીઓ, ખેડૂતો માટે અલગથી વાયદો કરવામાં આવશે

યુપીમાં પહેલા તબક્કાનુ વોટિંગ થાય તે પહેલા લખનૌમાં આ મેનિફેસ્ટો જાહેર કરાશે.જેની જવાબદારી કોંગ્રેસે પોતાના નેતા રાશિદ અલવીને સોંપી છે. તેમણે એક ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, યુપીમાં કેટલાક મુદ્દા બહુ મહત્વના છે. જે અમે મેનિફેસ્ટોમાં સામેલ કરીશું. .

(1:08 am IST)