Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

મીરવાઈઝ ઉમર ફારૂખની ૯ કલાક પૂછપરછ કરાઈ

ટેટર ફંડીંગ મામલે એનઆઈએના દિલ્હી હેડકવાટર ખાતે અલગાવવાદી હુર્રિયત નેતા : એનઆઈએના દરોડા દરમિયાન મિરવાઈઝના ઘરેથી ૪૦ ફૂટનો મોબાઈલ ટાવર, આપત્તિજનક દસ્તાવેજો મળી આવેલ

નવી દિલ્હી,તા.૯: અલગવવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂખની એનઆઈએ દ્વારા  દિલ્હી સ્થિત હેડ કવાટરે ટેરર ફંડીંગ મામલે સતત ૯ કલાક પૂછપરછ કરી હતી. આ પૂછપરછ આજે મંગળવારે પણ ચાલુ રહે તેવી શકયતા છે.

ટેરર ફંડીંગ મામલે હુર્રિયત ચેરમેન મીરવાઈઝ ઉમર ફારૂખ ગઈકાલે દિલ્હી સ્થિત એનઆઈએ હેડકવાટરમાં હાજર થયા હતા. સઘન સુરક્ષા વચ્ચે તેમને એનઆઈએ ખાતે લવાયા હતા. તેઓ શ્રીનગરથી અન્ય બે હુર્રિયત નેતા અબ્દુલ ગની ભાટ અને બીલાલ લોન સાથે આવ્યા હતા. જયાં તેમની સવારે ૧૧ વાગ્યાથી લઈને રાત્રે ૮ વાગ્યા સુધી પુછપરછ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મિરવાઝ સામે ગંભીર આરોપો છે. એનઆઈએના દરોડા દરમિયાન મિરવાઈઝના ઘરેથી ૪૦ ફૂટની ઉંચાઈ ધરાવતુ મોબાઈલ ટાવર મળી આવ્યું હતું. ઉપરાંત અનેક આપત્તિજનક દસ્તાવેજો જપ્ત કરાયા હતા. પાકિસ્તાન દ્વારા આતંકીઓને પોષવા માટે કરવામાં આવતા ફંડીગમાં મિરવાઈઝની મોટી ભૂમિકા હોવાનું કહેવાય છે. જેને લઈને એનઆઈએ દ્વારા તેને પૂછપરછ માટે નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ મિરવાઈઝ દ્વારા સુરક્ષાનું કારણ આગળ ધરી શ્રીનગર ખાતે જ તેની પૂછપરછ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જયાં શુક્રવારે એનઆઈએ દ્વારા ત્રીજી અને આખરી નોટિસ ફટકારવામાં આવી હતી.

(11:36 am IST)