Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

રામ મંદિર નિર્માણ માટે તમામ શક્યતા જોવાશે

શાંતિપૂર્ણ માહોલમાં ઉકેલ લવાશે

નવીદિલ્હી, તા. ૮ : ભાજપના ઘોષણાપત્રમાં રામ મંદિરને લઇને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમા જણાવવામાં આવ્યું છે કે, રામ મંદિરને લઇને ભાજપ બિલકુલ સ્પષ્ટ છે. મંદિર પર તમામ શક્યતાઓને ચકાસવામાં આવશે. શક્યતેટલી વહેલીતકે શાંતિપૂર્ણ માહોલમાં રામ મંદિરનું નિર્માણ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. ભાજપના ઘોષણાપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, છ કરોડ લોકોના અભિપ્રાય લઇને આ ઘોષણાપત્ર તૈયાર કરાયો છે.

(8:51 am IST)