Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

રણવીર સિંહને દાદાસાહેબ ફાળકે એક્સલેન્સ એર્વોડ 2018થી સન્માનિત કરાશે

પદ્માવત ફિલ્મમાં અલ્લાઉદ્દીન ખિલજીના રોલને બખૂબી નિભાવવા બદલ થશે સન્માન

 

મુંબઈ : રણવીર સિંહને દાદાસાહેબ ફાળકે એક્સલેન્સ એર્વોડ 2018થી સન્માનિત કરવામાં આવશે. પદ્માવત ફિલ્મમાં અલ્લાઉદ્દીન ખિલજીના પ્રતિનાયક રોલને બખૂબી નિભાવવા બદલ રણવીર સિંહને સન્માન મળશે અલ્લાઉદ્દીન ખિલજીના કિરાદારને ભજવવા માટે મળ્યો છે. જેમાં તેનો ખતરનાક લૂક અને ડાઈલોગ ડિલેવરી ફેન્સ અને ક્રિટીક્સને કાફી પસંદ આવ્યા હતા.

    રણવીર સિંહ એર્વોડ મેળવીને ખૂશ છે. કારણ કે વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી રણવીરની ફિલ્મ પદ્માવતે બોક્સઓફિસ પર નવા કિર્તીમાનો સ્થાપિત કર્યા હતા. તો વર્ષે તેના અભિનયને જોતા સિવાયના મોટાભાગના બેસ્ટ એક્ટરના એર્વોડ તે પોતાના નામે કરી દે તો નવાઈ નહીં.

 રણવીર સાથે અનુષ્કા શર્માને પણ દાદા સાહેબ ફાળકે એર્વોડથી સન્માનિત કરવામાં આવી છે,. જેણે સ્વતંત્ર અને સફળ પ્રોડ્યુસર તરીકે પરી ફિલ્મનું નિર્માણ કરેલું.

--- 

(12:17 am IST)