Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

બેંગલુરુમાં કોરોના વાયરસનો સંક્રમિત: ભારતમાં કુલ 45 કેસ નોંધાયા : 42 હજુ આઇસોલેશન વોર્ડમાં

બેંગલુરુના એક વ્યક્તિમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટી: અમેરિકાનો પ્રવાસ કર્યો હતો

 

નવી દિલ્હી : કર્ણાટક, પંજાબ, કેરળ, નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ અને કાશ્મીરથી નવા મામલા સામે આવ્યા બાદ ભારતમાં કોરોના વાયરસના મામલાઓની સંખ્યા સોમવાર સુધીમાં વધીને 45 થઇ છે. તેમા 42 સક્રિય મામલા છે જ્યારે કેરળમાં ત્રણ લોકો તેનાથી ઠીક થઇ ચૂક્યા છે

બેંગલુરુના રહેવાસી એક વ્યક્તિમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટી થઇ છે. જેણે હાલમાં જ અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. આ સાથે જ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 45 થઇ ગઇ છે. આ પહેલા સોમવારે જ પંજાબના હોશિયારપુરમાં ઇટાલીથી ગત સપ્તાહે પરત ફરેલા એક વ્યક્તિને કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટી થઇ છે જે પંજાબમાં આ બીમારીનો પહેલો મામલો છે.

(12:15 am IST)