Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

" આથમણી કોરનો ઉજાસ " : શ્રીમતી દેવિકાબેન ધ્રુવ અને નયનાબેન પટેલ દ્વારા ' પત્રાવળી ' રૂપે લખાયેલ પુસ્તકને ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદનું 'ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક'

  અમદાવાદ : જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે, ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ તરફથી ૨૦૧૬-૨૦૧૭ ના બે વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલા પુસ્તકોમાંથી, શ્રીમતી દેવિકાબહેન ધ્રુવ અને નયનાબહેન પટેલ દ્વારા 'પત્રાવળી' રૂપે લખાયેલ પુસ્તક "આથમણી કોરનો ઉજાસ"ને, 'ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક' જાહેર કરવામાં આવ્યું છે.
બે હૈયાં વચ્ચે સ્ફુરી ગયેલાં બે ઝરણાંના ખળખળતા મધુરા જળપ્રવાહનો આ શાબ્દીક વીડીઓ છે !! –"આથમણી કોરનો ઉજાસ" —
પ્રાપ્તિસ્થાનઃ પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
દેવિકા ધ્રુવ : dddhruva1948@yahoo.com
નયના પટેલ : ninapatel47@hotmail.com
તેવું સુશ્રી દેવિકા ધ્રુવની યાદી જણાવે છે.

(12:37 pm IST)