Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

બિહારમાં રાજયસભાની એક બેઠક કોંગ્રેસને ફાળવી આરજેડી આપેલું વચન પાળી બતાવે

કોંગ્રેસ પ્રભારી શકિતસિંહ ઙ્ગગોહિલે તેજસ્વી યાદવને લખ્યો ખુલ્લો પત્ર

બિહારમાં 5 રાજયસભાની બેઠકો માટે ચૂંટણી થવાની છે. જેના માટે રાજકીય સમીકરણો ગોઠવાય રહ્યા છે.સંખ્યા બળને જોતા NDA ના ખાતામાં 3 બેઠકો અને 2 બેઠકો RJDના  અને તેના સાથી પક્ષોના ખાતામાં જઇ શકે છે. બિહાર કોંગ્રેસ પ્રભારી શકિતસિંહ ગોહિલે રાજયસભાની એક બેઠક માટે તેજસ્વી યાદવને તેનો વાયદો યાદ અપાવ્યો હતો . જે તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન કર્યો હતો.

કોંગ્રેસના નેતા શકિતસિંહ ગોહિલનો RJDને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે તેઓ બિહારથી રાજયસભાની ચૂંટણી લડશે નહિં. આ સાથે તેમણે જણાવ્યુ છે કે સારા લોકો માટે કહેવાય કે પ્રાણ જાય, વચન નહીં. લોકસભા સમયના શબ્દો પર RJD અડગ રહેશે.

શકિતસિંહ ગોહિલે પત્રમાં લખ્યું કે, લોકસભા ચૂંટણી સમયે મહાગઠબંધનના નેતાઓની સંયુકત પ્રેસ કોન્ફરન્સ સમયે RJD એ રાજયસભાની એક સીટ કોંગ્રેસને આપવા કહ્યું હતું. તેથી તેઓ પોતાનો વાયદો નિભાવશે. આ સાથે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે, બિહારમાં સ્થાનિક કોંગ્રેસ નેતા જ ઉમેદવાર હશે. હું કે બહારના મતદાર કોંગ્રેસ ઉમેદવાર નહિં હોય

ભાજપના બે અને જેડીયૂના ત્રણ રાજયસભા સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં પૂર્ણ થવા જઇ રહ્યો છે, જેને લઇને 26 માર્ચે ચૂંટણી થઇ રહી છે. (૯.ર)

(11:31 am IST)