Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

SC/ST મામલે કથાકાર દેવકીનંદન ઠાકુર અને તેમના ભાઈઓને મળી ક્લિનચીટ

ઘરમાં ધુસીને મારપીટ અને પત્ની સાથે કથિત રીતે છેડછાડ કરવાનો મામલો: પુરાવાના અભાવે મળી ક્લિનચીટ

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં વૃદાંવનના એક ખ્યાતનામ ભાગવતવક્તા દેવકીનંદન ઠાકુર અને તેમના બે સગા ભાઈઓ સહિત છ લોકો વિરુદ્ધ SC/ST કાનૂન અંતર્ગત દાખલ કરાયેલી ફરિયાદ મામલે તપાસમાં પોલીસે કથાવાચક અને તેમના ભાઈઓને ક્લિનચિટ આપી છે. અહીં ઉલ્લેખનીય છે કે, તેમના વિરુદ્ધ ઘરમાં ઘૂસીને અનુસૂચિત જાતિના સમુદાયના વ્યક્તિ સાથે કથિત રીતે મારપીટ તથા પત્ની સાથે કથિત રીતે છેડછાડ કરવાનો મામલો નોંધાયો હતો.

પોલીસે ફક્ત આ કેસમાં કથાવાચક તથા તેમના ભાઈઓને ક્લિનચીટ જ નહીં પણ સાથે સાથે આ કેસને ખોટો સાબિત કરી દીધો છે. પોલીસે દેવકીનંદન અને તેમના ભાઈઓ વિરુદ્ધ કથિત રીતે પુરાવા ન હોવાના કારણે ક્લિનચીટ આપી છે.

(12:00 am IST)