Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

પૂર્વ કાનૂન મંત્રી-કોંગ્રેસના સીનિયર નેતા હંસરાજ ભારદ્વાજનું 82 વર્ષની વયે નિધન

સોમવારે સાંજે 4 વાગ્યે નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર : કાર્ડિયક અરેસ્ટના લીધે નિધન

નવી દિલ્હી : કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ કાનૂન મંત્રી હંસરાજ ભારદ્વાજનું નિધન થયું છે. 82 વર્ષની ઉમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધાં. હંસરાજ ભારદ્વાજ કોંગ્રેસના સિનિયર નેતા હતા  આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પરીવાર પ્રમાણે કાર્ડિયક અરેસ્ટના લીધે તેમનું નિધન થયું છે.

હંસરાજ ભારદ્વાજના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે 4 વાગ્યે નિગમ બોધ ઘાટ પર કરવામાં આવશે. UPAના કાર્યકાળમાં હંસરાજ ભારદ્વાજ કાનૂન મંત્રી તરીકે લાંબો સમય રહ્યાં હતા. આ સિવાય ભારદ્વાજ બીજા એવા કાનૂન મંત્રી હતા જેમનો આઝાદી બાદ સૌથી વધારે કાર્યકાળ રહ્યો હોય. 19 મે 1937ના રોજ તેમનો જન્મ થયો હતો. તેઓ 2009 થી 2014 સુધી કર્ણાટકના રાજ્યપાલ રહી ચૂક્યા છે જ્યારે 2012-13 સુધી તેઓ કેરળના પણ રાજ્યપાલ રહી ચૂક્યા છે.

(12:00 am IST)