Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

ચૂંટણી પંચના આંકડા સામે આપ ઉમેદવારે ઉઠાવ્યા સવાલ

-ઉમેદવારે કહ્યું તમામ બુથથી ડેટા એકત્ર કરતા 67,7 ટકા થયું જયારે ચૂંટણી પંચની વેબસાઇટમાં 49,19 ટકા કેમ ??

નવી દિલ્હી : આપના નેતા અને શકુરબસ્તીના ઉમેદવાર સત્યેન્દ્ર જૈને કહ્યું, 'મારા મત વિસ્તારના 143 બૂથ માટે ફોર્મ 17 સી એકત્રિત કર્યા પછી (શકુરબસ્તી એ.સી. 15)માં 144777 મતોમાંથી કુલ 98012 મતો પડ્યા હતા, જે 67.7 ટકા રહ્યા હતા.

પરંતુ ચૂંટણી પંચની વેબસાઇટ પર માત્ર 49.19% મતદાન બતાવવામાં આવી રહ્યું છે. સત્તાવાર મતદાનના 22 કલાક બાદ પણ ચૂંટણી પંચ દ્વારા ડેટા કેમ જાહેર કરવામાં આવ્યો નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે વિવિધ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળી રહી છે, આજતકનાં એક્ઝિટ પોલ મુજબ દિલ્હીમાં આપને 59થી 68 બેઠકો મળતી જોવા મળી રહી છે.

(8:34 pm IST)