Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

લોન મળવામાં તકલીફો છે તો ફરિયાદ કરી શકાય છે

નાણામંત્રી નિર્મલા સીતારામને ખાતરી આપી

નવી દિલ્હી, તા.૯ : નાણામંત્રી નિર્મલા સીતારામને આજે કહ્યું હતું કે, જો બેંક કોઇપણ કારણ વગર લોન આપવા ઇન્કાર કરે છે તો સ્પેશિયલ સેન્ટરમાં આની ફરિયાદ કરવામાં આવી શકે છે. સરકાર ટૂંક સમયમાં જ સ્પેશિયલ સેન્ટરની રચના કરવા જઈ રહી છે. માઇક્રો સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ સમક્ષ રજૂઆતમાં કહ્યું છે કે, જો બેંક કોઇપણ કારણ વગર લોન આપવામાં ઇન્કાર કરે છે તો તેની ફરિયાદ કરવામાં આવી શકે છે. બજેટમાં એમએસએમઈ સેક્ટરને લઇને નાણામંત્રીએ કહ્યું હતું કે, જો બેંક કોઇપણ કારણ વગર લોન આપવાનો ઇન્કાર કરે છે તો સ્પેશિયલ સેન્ટરમાં આની ફરિયાદ કરવામાં આવી શકે છે. સરકાર ટૂંક સમયમાં જ મહત્વપૂર્ણ નિર્ણય કરનાર છે. નાણામંત્રીનું કહેવું છે કે, એમએસએમઈ સેક્ટર ફરિયાદની એક કોપી બેંક મેનેજરને પણ મોકલી શકે છે. બજેટમાં એમએસએમઈ સેક્ટર માટે અનેક જાહેરાતો કરાઈ હતી.

(8:09 pm IST)