Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

પૂંછ જિલ્લામાં પાકિસ્તાની સેનાનો બેફામ ગોળીબાર:એક જવાન શહીદ :જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની ચોકીઓ તબાહ કરાઈ

રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી નાના હથિયારોથી ફાયરિંગ તેમજ મોર્ટાર મારો કરાયો

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં આતંકી ષડયંત્ર રચવાનો પ્રયાસ કરી રહેલી પાકિસ્તાની સેનાએ ફરી એકવાર એલઓસી પર યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો જેમાં સેનાના એક જવાને શહીદી વ્હોરી જ્યારે કે ત્રણ જવાન ઘાયલ થયા છે

 પાકિસ્તાની સેના દ્વારા પૂંછ જિલ્લામાં એલઓસી પર ભારતીય ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને નાના હથિયારોથી ફાયરિંગ તેમજ મોર્ટાર મારો કરવામાં આવ્યો.હતો  જે બાદ ભારતીય જવાનોએ પણ પાકિસ્તાની સેના સામે આક્રમક કાર્યવાહી કરી. જેમાં ઘણી પાકિસ્તાની ચોકીઓ તબાહ કરી દેવાઇ છે . પાકિસ્તાન દ્વારા પૂંછ જિલ્લાના દગવાર સેક્ટરમાં યુદ્ધ વિરામનો ભંગ કરાયો હતો. પાકિસ્તાની સેના ઠંડી અને ધુમ્મસનો સહારો લઇને આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહી છે. આ પહેલા પાકિસ્તાન દ્વારા પૂંછ જિલ્લાના શાહપુર કેરની સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો.

(10:33 am IST)