Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સરકારે તપાસના આદેશો આપ્યા : વડાપ્રધાને દુઃખ વ્યકત કર્યું

મહારાષ્ટ્રમાં સરકારી હોસ્પિટલમાં સિસ્ટમ ઉંઘતી રહી અને બાળકો મોતને ભેટયા

મુંબઇ તા. ૯ : મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની હોસ્પિટલ ખાતે ન્યુબોર્ન કેર યુનિટમાં ૧૭ નવજાત શિશુઓ હતા. જેમાં ૧૦ના આગ લાગવાથી મોત થયા છે. વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નવજાત શિશુઓના મોત બાદ તેમના પરિવારજનોનો વિલાપ નિહાળી ન શકાય તેવો છે અનેક લોકોએ આ ઘટનાને હોસ્પિટલની લાપરવાહી ગણાવી છે.

રાજ્ય સરકારે ઘટનાની તપાસના આદેશો આપ્યા છે અને પાંચ - પાંચ લાખના વળતરની જાહેરાત પણ કરાઇ છે.

દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ ઘટના અંગે શોક વ્યકત કર્યો છે.

(11:43 am IST)