Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ભારતે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે મિસાઇલ VL-SRSAMનું સફળ પરિક્ષણ કર્યું

મિસાઈલ લગભગ 15 કિમીના અંતરે સ્થિત દુશ્મનોના નિશાનને ખતમ કરી શકે

નવી દિલ્હી : ભારતે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે 'વર્ટિકલી લોંચ્ડ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ' (VL-SRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મિસાઈલ લગભગ 15 કિમીના અંતરે સ્થિત દુશ્મનોના નિશાનને ખતમ કરી શકે છે.

DRDO એ જણાવ્યું છે કે VL-SRSAM ને ભારતીય નૌકાદળ માટે સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય દરિયાઇ-સ્કિમિંગ લક્ષ્‍યો સહિત સરહદ પરના વિવિધ હવાજન્ય જોખમોને નિષ્ક્રિય કરવાનો છે.

ડીઆરડીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ખૂબ જ ઓછી ઉંચાઈ પર સ્થિત ઈલેક્ટ્રોનિક લક્ષ્‍યને નષ્ટ કરવા માટે આ મિસાઈલને વર્ટિકલ લોન્ચરથી છોડવામાં આવી હતી.

 
   
(1:16 am IST)