Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

૧૭ થી ૧૯ દરમ્યાન યોજાનારા કાર્યક્રમ માટે

રાહુલ-મમતા-માયાવતી સહિત ૩ લોકોને આમંત્રણ આપતુ સંઘ

નવી દિલ્હી, તા., ૮: સંઘે પોતાના ૩ દિવસના કાર્યક્રમ માટે દેશભરમાં ૭૦૦૦ લોકોને આમંત્રણ આપ્યું છે જેમાં રાજકીય વિચારધારા, સામાજીક અને ધાર્મિક સમુહ, લઘુમતી નેતા સહીત નિવૃત બાબુઓનો સમાવેશ થાય છે.

૧૭ થી ૧૯ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનારા આ કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવત આ બધા સાથે સંવાદ કરશે.

સંઘના સુત્રોના જણાવ્યા પ્રમાણે આમંત્રીત લોકોમાં પ્રાદેશીક પક્ષો સહિત બધા રાજકીય પક્ષો સામેલ છે.

સંઘના સુત્રોના કહેવા મુજબ ભવિષ્ય કા ભારત સંઘ કી દ્રષ્ટી કાર્યક્રમ માટે રાહુલ ગાંધી, મલ્લીકાર્જુન ખડગે, અખિલેશ, મમતા, માયાવતી, ચંદ્રબાબુ નાયડુ વગેરેને આમંત્રણ અપાયું છે. સંઘને આશા છે કે ૩ દિવસના કાર્યક્રમમાં રોજ ૮૦૦ થી ૧૦૦૦લોકો હાજર રહેશે.(૪.૩)

 

(11:45 am IST)