Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

2019થી બી એડનો અભ્યાસક્રમ ચાર વર્ષ થવાની સંભાવના , NCTE મુક્યો પ્રસ્તાવ દેશભરમાં એક સરખો અભ્યાસક્રમ માનવ સંસાધન વિકાસ મંત્રાલયને કરાઈ દરખાસ્ત

બેચલર ઓફ એજ્યુકેશન અર્થાત બી.એડ અભ્યાસક્રમમાં ફરી ફેરફાર કરવામાં આવી રહ્યો છે. પહેલાં ૧ વર્ષી બે વર્ષ અને હવે અને બી.એડ. કોર્સની મુદત ૪ વર્ષની કરવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે કહ્યું કે, વર્તમાનમાં ચાલી રહેલા બે વર્ષના કોર્સને ૪ વર્ષમાં ફેરવવાની તૈયારી ચાલી રહી છે. આ નિર્ણય શિક્ષણ પ્રમાણીમાં શૈક્ષણિક સ્તર સુધારવા માટે લેવામાં આવી રહ્યો છે.

આ નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય છે કે ભવિષ્યમાં સ્કૂલના ટીચર્સ બ્લૂ વ્હેલ ચેલેન્જ, મનોવૈજ્ઞાનિક સાયબર ગેમ્સ અને અન્ય કોઈ પણ પ્રકારની ધમકી આપતી ગેમ્સની સમસ્યાથી વિદ્યાર્થીઓે મુક્ત કરાવવા માટે તૈયાર રહે.સૂત્રોના જણાવ્યા અનુસાર ૪ વર્ષના બી.એડ કોર્સની શરુઆત આગામી વર્ષ એટલે ૨૦૧૯થી કરાશે. આ માટે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન(એનસીટીઈ)ની તરફથી માનવ સંસાધન વિકાસ મંત્રાલયને બી.એડ કોર્સમાં ફેરફાર કરવા માટે પ્રસ્તાવ મોકલાયો છે.

(12:00 am IST)